પરિસ્થિતિ નિષ્ફળતા માટે જવાબદાર નથી જ. આપણું મન નિષ્ફળતાના અહેસાસનું માધ્યમ છે. જ્યારે મારું મન સ્વીકારી લે કે હું નબળો, ત્યારે હું નક્કી નબળો. મન મને અંદરના સ્વર્ગ કે અંદરના નર્ક તરફ દોરી જઈ શકે. છરી ભયાનક નથી, જો તેનાથી શાક સુધારો તો ! પણ એ જ છરી કોઈના પેટમાં હુલાવી દો તો ? આપણું મન તો છરી છે. તમને છરીનું મૅનેજમેન્ટ કરતાં ફાવી જાય તો જીવન સાર્થક. બહાર જે બને છે તેને અંદર કેમ મોકલાય છે ? પરિસ્થિતિને જડતાથી, ગુસ્સાથી, દર્દથી, હતાશાથી જોઈ અને સ્વીકારી તો અંદર પણ આ જ જડતા-ગુસ્સો-પીડા-હતાશા પહોંચ્યાં.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ