ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, 'હે માનવી તું કર્મ કરે જા, ફળની ચિંતા ના કર.' આપણે જે પણ કાર્ય કરતાં હોઈએ એનું શું પરિણામ આવશે કે એ કાર્યના કેવા પ્રત્યાઘાત પડશે, જો એ બધી ચિંતા કે ફિકર કર્યા કરીએ તો, આપણે જે કાર્ય કરવા ધાર્યું છે તે માટે આપણે આપણો સંપૂર્ણ પ્રયાસ કદાચ ના આપી શકીએ. જેમ સિક્કાની બે બાજુ હોય છે તે જ રીતે દરેક કાર્યના અનુકૂળ અને પ્રતિકૂળ પ્રત્યાઘાતો રહેવાના જ અને આ જ સનાતન સત્ય છે. જો માનવી ફક્ત પોતાના કર્મને જ પ્રાધાન્ય આપે તો તે જરૂરથી જ સફળ થાય છે. કહેવાય છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.