“બુદ્ધ અને તેમનો ધમ્મ”ગ્રંથનો આ ‘ઇ.ધમ્મગ્રંથ-2’માં કુલ આઠ ભાગ છે. પ્રત્યેક ભાગમાં ધમ્મપ્રસારની અને માનવીય કલ્યાણની ભાવના ઉત્તરોત્તર પ્રભાવી બની રહે છે. જાતિ-વર્ણ-લિંગ આદિના ભેદને નષ્ટ કરતી વૈચારિક-ક્રાંતિ સમસ્ત માનવજાતિ માટે કલ્યાણકારી સિદ્ધ થાય એ રીતે સમાજિકક્રાંતિનું સમગ્રલક્ષી ચિત્ર વાચકને મળે છે.
બુદ્ધ અને તેમનો ધમ્મ કુલ આઠ ભાગમાં વહેંચાયેલો છે. અહીં પ્રથમ ખંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રથમ ખંડમાં કુલ સાત ભાગ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મથી આરંભીને તેમના પરિનિર્વાણ સુધીના અત્યંત સંવેદનશીલ પ્રસંગોને જીવંત બનાવતો સૌથી નાનો પણ મહામુલો ગ્રંથ એટલે “જો બાબા ના હોત તો…..
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે