Home » GL Community
આપણો દેશ તહેવારોનો દેશ છે. જુદાંજુદાં રાજ્યોમાં અનેક પ્રકારના તહેવાર ઉજવાય છે. આ તહેવારમા મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે, જે નાનામોટા સૌ કોઈ મોજથી ઊજવે છે. મકરસંક્રાંતિનો તહેવાર કૃષક તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ખેડૂતો પાકની લણણી કરે છે.ઉતરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર 14 […]
એક તળાવને કિનારે એક જાંબુનું ઝાડ હતું. જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. વાંદરો રોજ જાંબુ ખાય અને ઠળિયા તળાવમાં ફેંકે. (વાંદરો આધુનિક એબ્સર્ડ લેખક હોત તો રોજ ઠળિયા ખાત અને જાંબુ તળાવમાં ફેંકત … પણ વાંદરો સમજદાર હતો; કારણકે એ વાંદરો હતો.) તળાવમાં એક મગર અને મગરી રહે. (વાંદરો પરણેલો ન હતો. હમણાં […]
જેઠ સુદ તેરસના રોજ વટસાવિત્રી વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે અને પૂનમના દિવસે વ્રત પૂરું થાય છે. ત્રણ દિવસ ઉપવાસ કરવો અથવા બે દિવસ ફળાહાર અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવો. સ્ત્રીઓ આ વ્રત પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, સ્વાસ્થ્ય માટે અને પોતાને જન્મોજન્મ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે કરે છે. 'વટમૂલે સ્થિતો બ્રહ્મા, વટમધ્યે […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
The Gujarat Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act 2024 – ગુજરાત માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુને અટકાવવા અને તેના નિર્મૂલન કરવાનો કાયદો-2024ને અંગ્રેજી અને ગુજરાતીમાં સમજાવતી ઈ.બુક
આ ઈ.બુકમાં લેખકે વહેમ અને અન્ધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવતી વિચારોત્તેજક સર્વાંગી ચર્ચા-વિચારણા ઈશ્વરને અનુલક્ષીને કરી છે. આ પુસ્તકના લેખક ગુજરાતમાં રૅશનલ પ્રવૃત્તિના અગ્રણી, નિવૃત્ત ડાયરેક્ટર ઑફ ફીઝીકલ એડ્યુકેશનના ડૉ. જેરામ જે. દેસાઈ છે.
આ ઈબુકમાં બુદ્ધ ધર્મનું ચિંતન સુપેરે પ્રગટ થયું છે. ગાગરમાં સાગરની જેમ ગહન અને ગંભીર ચિંતન, મનન સમાવ્યું છે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવ્યા છે.
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
Powered by eSeva