| 4 |
[ સં. ધુર્ ( ધૂંસરી ) ] |
न. |
ખેતી, સવારી અને દૂધ દહીં માટે પાળવામાં આવતાં મોટાં ચોપગાં જનાવર; ગાય, બળદ, ઘોડાં ભેંશ વગેરે ચોપગાં પ્રાણી; જનાવર; જંગલમાં ઘાસ વગેરે ચરીને રહેનાર પ્રાણી; હિંસક નહિ પણ પળાય એવું પ્રાણી. મનુષ્યના જેવાં તેને વાણી અને વિચાર કરવાની બુદ્ધિ હોતાં નથી. ઢોરની નીચે પ્રમાણે મુખ્ય જાત છેઃ (૧) હરિયાણા, (૨) ધન્ની, (3) કાંકરેજ, (૪) માળવી, (૫) ભગ્નેરી અને દજલ, (૬) નાગોરી, (૭) શાહીવાલ, (૮) ઓંગોલ, (૯) રેડસિંદે, (૧૦) ગિર, (૧૧) થરપારકર, (૧૨) અમૃતમહાલ, (૧૩) કાંગાયમ, (૧૪) હલ્લિકર, (૧૫) કિલ્લરી, (૧૬) કૃષ્ણાવેલી, (૧૭) પોનવાર, (૧૮) ખારીગઢ, (૧૯) ગાઉલઉ, (૨૦) દેઉની, (૨૧) નિમારી, (૨૨) મુરાહ, (૨૩) જાફરાબાદી, (૨૪) નાગપુરી, (૨૫) મહેસાણી. ઢોરની ઓલાદની સુધારણા સંબંધે સરદાર દાતારસિંઘ લખે છે કેઃ હિંદુસ્તાન ખેતીપ્રધાન ધેશ હોવાથી ઢોરની ઓલાદમાં સુધારો કરવો એટલે ખેતીમાં સુધારણા કરવી. દુનિયાનાં ઢોરોના ૨૯ ટકા ઢોર હિંદુસ્તાનમાં છે અને છતાં અહીં માથાદીઠ દૂધની પેદાશ ઘણી ઓછી છે. ન્યૂઝીલંડ અને ઓસ્ટ્રેલિઅ જેવા દેશોમાં અનુક્રમે ૫૬ અને ૪૫ ઔંસ રોજની દૂધની પેદાશ છે અને હિંદુસ્તાનમાં ફક્ત ૭ ઔંસ છે. યુક્તાહારના સિદ્ધાંત પ્રમાણે તે ઓછામાં ઓછી ૨૦ થી ૩૦ ઔંસ હોવી જોઈએ. એટલે આપણી ઊપજ હજુ ત્રણગણીથી યે વધારવી જોઈએ. અહીંની ગાય વર્ષમાં ૭૫૦ રતલ દૂધ આપે છે. આટલું ઓછું પ્રમાણ હોવાનું કારણ ઓછું પોષણ છે. જ્યાં ૨૭૦૦ લાખ ટન ચારાની અને ૫૦૦ લાખ ટન દાણાની જરૂર છે, ત્યાં ૧૭૫૦ લાખ ટન ચારો અને ૩૭ લાખ ટન દાણો મળે છે. ઉપરાંત સંઘરવામાં, સૂકવવામાં, લણવામાં અને અનાજમાંથી ખાણ બનાવવામાં ઘણો બગાડ થાય છે. ઢોરોને યોગ્ય પોષણ મળે તે સારૂ (૧) ઘાસચારાની પેદાશ વધારવા માટે વધારે જમીન ખેડવાની સગવડ આપવી, (૨) વધારે પોષણ મળે એવો ચારો ઉગાડવો, (૩) બારમાસી ઘાસ જેવાં કે, એલિફન્ટ, ગિની, રોહડ્સ વગેરે સાથે થોડાં બિયાં પણ ઉગાડવાં, (૪) ચારાને સંભાળીને સંઘરવો, (૫) ચારો સૂકવવાની રીતમાં પણ સુધારો કરવો અને (૬) ગોચરો માટે જમીન વધારવી. ઢોરોની ઓલાદ સુધારવા માટે પણ (૧) લાયક એવી જાતના સાંઢ દરેક જગ્યાએ પૂરા પાડવા, (૨) સાંઢોને સાંજને ટાણે કોઢમાં બાંધી રાખે એવી વ્યવસ્થા કરવી, (૩) નકામા સાંઢોને ખસી કરવા, (૪) સાંઢોની સંખ્યા જે ઓછી છે તે વધારવી, (૫) આજની ગૌશાળા ને પાંજરાપોળોને આદર્શ બનાવી તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો, (૬) ચેપી રોગો અટકાવવાનો પ્રબંધ કરવો અને (૭) રોગપ્રતિબંધક અને રોગનિવારક ઉપાયો તરફ પૂરતુ લક્ષ આપવું. ઢોરનું તો ચામડું યે કામમાં આવે છે પણ માણસનું એક વચન માત્ર કામમાં આવે છે. જેના વચન ઉપર ભરોસો ન રખાય તેની કીમત ઢોર કરતાં પણ ઓછી છે.
રૂઢિપ્રયોગ
ઢોરના ચાવ્યામાં કૂચો પડે પણ માણસના ચાવ્યામાં ન પડે = માણસની બત્રીસીએ ચડ્યું તે પાયમાલ થઈ જાય.
|
| 5 |
|
न. |
પશુ. સને ૧૮૭૧ના ઢોરના અતિક્રમણ બાબતના કાયદાની રૂએ ઢોર એ સંજ્ઞામાં ગાય, બળદ, ગોધા, ભેંસ, હાથી, ઊંટ, ઘોડાં, ખસી કરેલા ઘોડા, ટટ્ટુ, વછેરાં, ખચ્ચર, ગધેડાં, ડુક્કર, મેંઢાં, ઘેટાં અને બકરાંનો સમાસ થાય છે.
|